ગુજરાતી powered by Lipikaar.com
ચોરે ને ચૌટે ''થ્રી ઈડીયટસ'' ની વાતો ચાલે છે। મનોવિજ્ઞાન અને સેલ્ફ મેનેજમેન્ટ ના સિધ્ધાંતો પર આ પિકચર હાલ ની સિસ્ટમ માં આમુલ પરિવતૅન ની માંગ સાથે ક્રાંતિકારી વિચારધારા લ ઈને આવ્યુ છે, માત્ર નોકરી ધંધો જ કરતાં આવડે તેવા બાળકો ન બનાવો પણ ''કિ્એટીવ જીનિઅસ'' પેદા કરો।
આ બધી વાતો સંદર છે, અપનાવવા જેવી છે। પરંતુ જીવન માં કંઇક બનવાનું ધ્યેય તમે ચોક્કસ રાખો, સેલ્ફ મેનેજમેન્ટ માટે નિશ્ર્ચિત ધ્યેય જરુરી છે, પરંતુ આ ધ્યેય પ્રેકટીકલ, પોઝીટીવ, ફ્લેકસીબલ અને મેઝરેબલ હોવુ જોઇએ, એટલે કે તમારી વાસ્તવિક્તા, સંજોગ અને પહોંચ માં હોવો જોઇએ। જો બારમા ધોરણ માં પાસ થવાતુ ના હોય તો હાટૅસજૅન બનવાનું ધ્યેય ના રખાય, ડોન દાઉદ બનવાનાં સ્વપ્નાં જોવો એ ધ્યેય ન કહેવાય, ધ્યેય સ્થિતિસ્થાપક અને માપી શકાય તેવુ હોવુ જોઇએ। ધ્યેય નક્કી કરીએ તે પછી તમારી ખુબીઓ ખામીઓ, સંજોગો સમજવા જરુરી છે, કારણ કે દિવાસ્વપ્નો જોંવા અને ધ્યેય નિશ્ર્ચિત કરી એ દિશાંમા આગળ વધતા રહેવું એ બન્ને જુદી વાત છે।
એટલે મેનેજમેન્ટ ગુરુ ઘણા છે, તેમની બધી વાતો ''ઓલ ઈઝ વેલ'' નથી હોતી। એટલે જ તમારે ચોથા ઇડીયટ ન બનવુ હોય તો બધા ની વાતો ને ગંભીરતાથી લેવા કરતાં તમારી પરિસ્થિતિ ને અનુરુપ તમારે શું નિણૅય લેવો જોઇએ તે તમે નક્કી કરો, અથવા તમારા વડીલો કે માતા પિતા ના સુચનો પણ સાંભળો કારણ કે તેઓ હંમેશા ખોટા જ છે તેમ માનવુ ભુલભરેલુ હોય છે.
ગુજરાતી powered by Lipikaar.com
Saturday, January 23, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment