Saturday, September 12, 2009

સ્ત્રી સીરીયલ અને સાડાત્રેવીસ કલાક

સ્ત્રી એ એકજ જીંદગી માં ઘણી જીંદગી ઓ જીવવા ની હોય છે। સ્ત્રી પાસે બધુ જ હોય છે અને પોતાનુ કહી શકાય એવુ કશુજ નથી હોતુ। તણે પિતા નાવ્હાલ ની ઇજ્જત અને પતિના પ્રેમ ની આબરુ સાચવવાની હોય છે।આંસુ જેટલા સ્ત્રી ઓ ની આંખો માં શોભે છે તેટલા પુરુષો ની આંખોમાં નથી શોભતા.......સ્ત્રીએ ઘણાબધા રોલ ને અનુરુપ જીવવા નુ હોય છે। હજુ તો એ દિકરી બની ને જીંદગી ના બાળપણ ને પ્રેમ કરતી હોય છે, ત્યાં જ તેને પત્ની બની નેબીજા રોલ માં ઢળવુ પડે છે। સ્ત્રીઓ ને પોતાનો ગમતો રોલ તેની પાસે લાંબા સમય સુધી ટકતો નથી........પિયર થી સાસરે જતી "દિકરી' જ્યારે સાસરા મા પગ મુકે છે ત્યારે "પત્ની' બની જાય છે।અને એજ" પત્ની'જ્યારે દિકરો કે દિકરી ને જન્મ આપે છે ત્યારે "માતા' બની જાય છે। અને" દિકરી',' પત્ની' , ' માતા'એકાએક સ્ત્રી અનુભવાય છે।હવે પોતાનુ બાળપણ પોતાના જ દિકરા કે દિકરી ના બાળપણ મા સોધી લેવુ પડે છે। હવે છોકરા ને ઉછેરતા-ઉછેરતા દિવાલ પર ફોટો બની ગયેલ મમ્મી ની શિખામણો યાદ કરીને જન્મ આપનારી જનેતાને જીવાડવી પડે। હવે દિકરો પોતા નીપત્ની ની ચિંતા કરે છે ત્યારે પોતાના પરનો પ્રેમ ઓછો થઇ જશે - એવી મુંજવણ ઘર નાં મંદિરમાં માળા ફેરવતી હોય છે। અને સાસુ નો જન્મ થતો હોય છે।પોતાનો દિકરો તેની પત્ની ના વખાણ કરે તેવા સમયે જે સ્થિતપ્રજ્ઞ રહી શકે તે સાચી "મા" અને "માતૃત્વ' તે સ્ત્રી ના દરેક સ્વરુપો ની ભૈરવી છે। હવે જમાનો બદલાઇ ચુક્યો છે।પોતે સ્ત્રી હોવાની સાથે સાથે'મનુષ્ય' પણ છે અેના હક્કો સ્ત્રી ઓ માગી રહી છે। તેનો જીવન મંત્ર રસોડાનાં અંધકાર માંથી બહાર નીકળી ને વિશ્ર્વ સાથે મૈત્રી કરાર કરવા નીકળી ચુક્યો છે। છોકરા ને બાઇક પાછળ બેસાડી ને છોકરી નીકળે છે ત્યારે રસ્તો પણ મુડ મા આવી જતો હોય તેમ લાગે છે।સ્ત્રી એ ઘણુબધુ જતુ કરવાનુ હોય છે। પણ તેનો' સ્વભાવ' -એ કયારેય જતો કરતી નથી।એકજ સળી હોય તો પણ માળાને હુંફાળો બનાવી શકે છે। તે કોઇ ના છોકરા ને રડતા જોઇ ને હાલરડું ગાઇ શકે છે। ચારણી માં લોટ ચળાય તેમ દરેક આંકાં માંથી પસાર થતા લોટ ની જેમ સ્ત્રી એ પોતાની હયાતી નો પુરાવો દરેક સંવેદન માંથી પસાર થતા આપવો પડે છે, લોત ચળાતો હોય છે ત્યારે થોડોક લોટ હવા માં ઉડી જાયછે, તેમ સ્ત્રી નુ જીવન પણ હવા મા ઉડી ને ઓગળી જતુ હોય છે। તેની કાયા લોટ થઇ ને ઊડે છે, છતાય તેનાથી" માયા' નથી છુટતી। સીરીયલ ના અડધો કલાક ના વાતાવરણ માં બાકી ના સાડાત્રેવીસ કલાક સાથેનુ સમાધાન એ સ્ત્રી ઓ માટે ફાવટ નો વિષય છે.
ગુજરાતી powered by Lipikaar.com

Tuesday, August 11, 2009

સુખી થવા ના રસ્તા

(૧) સુખી થવા માટે નુ પહેલુઁ પગલું જે તમારી પાસે છે તે શ્રેષ્ઠ છે તે માનવા નુ શરુ કરો।તો દુખ નહીં લાગે। (૨) તમને જે નથી મળ્યુ તેમા ઇશ્ર્વર નો કોઇ સંકેત હશે આ સુખી થવા નુ બીજુ પગલુ।। નથી મળ્યુ તે માટે નો અફસોસ કરશો તો વધારે દુઃખી થશો।(૩) ત્રીજુ પગલુ તમારા ભગવાન પાસે તંદુરુસ્તી માગો। અને તમારા શરીરને ભગવાન માની રોજ આ ભગવાન ની કસરત રુપી ધુપ, દીપ વડે પુજા કરો।(૪) ચોથુ પગલુ તમે થોડા સ્પિરીચ્યુઅલ થાવ - આખા જગત ને ચલાવનાર કોઇ અગમ્ય શક્તિ છે તેને માનતા થાઓ। તમે પુજા ના સ્થાન મા જાઓ કે ના જાઓ સ્થુળ રીતે ભગવાન ની પુજા કરો કે ના કરો ફક્ત અગમ્ય શક્તિ માં માનતા થાવો।(૫)આ અગમ્ય શક્તિ ઉપર શ્રધ્ધા રાખો, વિશ્ર્વાસ રાખો। તેનાથી સુખ મળશે। (૬) મન ને ભતકવા ન દો મન ચંચળ છે, મન ને વતૅમાન મા રાખો, ભુતકાળ ના દુખી અનુભવો ને યાદ કરી ને દુખી ના થાઓ। (૭) સાતમુ અને છેલ્લુ પગલું તમે ગમે તેવી પરિસ્થિતિ હોય સદા આનંદીત રહો। મન ને પ્રસન્ન રાખો। શરીર ને પ્રસન્નતા મળશે અને દુખ દુર થશે। અપાર સુખ મળશે.


જરાpowered by Lipikaar.com

Wednesday, April 22, 2009

આજ નો નેતા કેવો છે.

અત્યારે લોકસભા ની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે આપણે જોઇએ છીએ કે આજ નો આપણો નેતા કેવો છે। (૧) ચુંટણી સમયે એ જોડે હાથ જીત્યા પછી એ મારે લાત।(૨) વોટ માંગતા લગાવે બાથ પછી છોડી દે તમારો સંગાથ। (૩) ખુરશી ખાતર બદલે પાટલી ને દારુબંધી માં પણ આપે બાટલી।(૪) યોજના ઓ ઘડે પ્રજા ના કલ્યાણ ની ને સફળતા મેળવે પોતાના કલ્યાણ ની।(૫) મત મેળવવા એ વહેંચે કપડાં જીત્યા બાદ ક્યારેક એ ઉતરાવે પણ કપડાં।(૬) કૌભાંડો એ કરતો રહે, તપાસ પંચો નીમતો રહે, છાપા માં એ ચમકતો રહે ને છતાય સદાચારી થ ઇ ફરે.
ગુક્ષઞઞઞજરાત powered by Lipikaar.com

Friday, April 17, 2009

નેતા કેવા હોવા જોઇએ.

અત્યારે આપણા દેશ માં લોકસભા ની ચુંટણી આવી રહી છે।ત્યારે આપણ ને વિચાર થાય કે આપણે કોને મત આપવો, આપણો નેતા કેવો હોવો જોઇએ,આજના જમાના મા ઉમેદવારો તો અનેક છે પણ નેતા ક્યાં છે। જ્હોન સી મેકવેલ ના પ્રસિધ્ધ પુસ્તક ''ડેવલપિંગ ધ લીડર વિધીન યુ'' મતલબ કે' તમારા મા રહેલા નેતા ને કેવી રીતે વિકસવા નો મોકો આપશો' તે પુસ્તક નેતા ના સપના સેવનાર હર કોઇ એ વાંચવા જેવુ છે।લેખકે તારવ્યુ છે કે દુનિયામાં એવા નેતાઓ ની જરુર છે, (૧) જે પોતાના પ્રભાવ નો ઉપયોગ સાચા કારણોસર યોગ્ય સમયે કરી શકે છે।(૨) જે દોશ નો ટોપલો પોતાના માથે રાખે છે અને શ્રેય નો નાનકડો હિસ્સો લેવા નુ પસંદ કરે છે, (૩) જે વ્યકિતગત લાભ ને બદલે બીજા ના લાભ માટે કામ કરે છે,(૪) જે ધમકાવવા તથા શોષણ કરવાને બદલે લોકો ને પ્રેરિત કરે છે,(૫) જે લોકો સાથે એટલે રહે છે કે જેથી તેમની સમસ્યાઓ થી વાકેફ થઇ શકે અને તેમની સમસ્યાઓ નુ સમાધાન કરી શકે, (૬) જેને એ વાત ની અનુભુતિ હોય કે તેનુ આચરણ તેના હોદ્દા કરતા વધુ મહત્વ નુ છે, (૭) જે નાની બાબત માં પણ એટલા જ ઈમાનદાર હોય છે, જેટલા મોટી બાબતો માં પણ,( ૮) જે પોતાની જાત ને પણ શિસ્તબધ્ધ રાખે છે, જેથી બીજા લોકો પોતાને અનુશાસિત નકરે,(૯) જે 'ઓપિનિયનપોલ' ને નજર સમક્ષ રાખવા ને બદલે પોતાની જાત ને નવા વિચારો મા ઢાળે છે,(૧૦) જેઓ આફતો ને આશીર્વાદ મા પરિણત કરી શકે છે।
તો ચાલો આપણે પણ આવા નેતા શોધી આપણો પવિત્ર મત આપી એ.
ગુજરાતી powered by Lipikaar.com

Tuesday, April 7, 2009

યુવાનોને સૂચનો

ગુજરાતી powered by Lipikaar।com
યુવાનોને આગળ વધવા માટે ના સુચનો,(૧) નિશ્ર્ચિત, સ્પષ્ટ અને વાસ્તવિક ધ્યેય નક્કી કરો। તમે સામાન્ય માનવથી કંઇક અલગ ઊંચેરા બનીને તમારા વ્યકિતત્વનો વિકાસ કરવા માગતા હો તો તમારા જીવન નુ ધ્યેય નક્કી કરી નાખો। બીજા કોઇ થી અંજાયા વીના તમારી ક્ષમતા, શક્તિ પારખીને દરેક સંજોગો ને લક્ષ્યમાં રાખીને વાસ્તવિક ધ્યેય નક્કી કરો।તમને જો ગણિત કે વિજ્ઞાનમાં રસ ન હોય તો તમે કદી અબ્દુલ કલામ બની શકશો નહીં। તમારામાં જો આત્મવિશ્ર્વાસ, તમન્ના, ધગશ અને મક્કમતા હશે તો સફળતા તમને જ વરશે। (૨) ધ્યેય પા્પ્તિ માટે રોલ મોડલ પસંદ કરો। આજે તમે ક્યા ક્ષેત્રમાં જવા ઇચ્છો છો તે નક્કી કરો।અને તે મુજબ ના રોલ મોડલ પસંદ કરો। સતત સારા પુસ્તકો, જીવન ચરિત્રો વાંચવા નુ રાખો। તેમાથી સફળ થયેલા પ્રેરણા પુ્રુષો તમને બળ પુરુ પાડશે। (૩) ધ્યેય અને સંકલ્પ ને વારંવાર યાદ રાખો। સંકલ્પ નક્કિ કયાઁ બાદ તે સિધ્ધ કરવા સમજપુવઁક સખત મહેનત કરવી પડશે। (૪) ગુણવતા થી કામ કરો - ઉત્તમતાની ખોજ કરો। તમારા ધ્યેય સુધી પહોંચવા માટે તમારી આકાંક્ષાઓની સાથે યોગ્યતાઓ માં વૃધ્ધિ કરતાં જાઓ। દરેક કામ ગુણવત્તાસભર અને શ્રેષ્ઠ કરવા નો આગ્રહ સેવો।( ૫) જીવન માં સંપુણઁ જવાબદારી સ્વીકારી કાયઁ કરો। તમારે જીવનમાં સફળ થવું હશે તો સંપુણઁ જવાબદારી લેવાની તૈયારી રાખવી પડશે।(૬) નિષ્ફતા થી નિરાશ ન થાવ। તમે પુરુષાથઁ કરતા હો ત્યારે પ્રતિકૂળ સંજોગો કે પરિસ્થિતિના કારણે ક્યારેક પીછેહઠ કરવી પડેછે, તે સમયે નીરાશા આવે છે। જીવનમાં મુશ્કેલી તો આવવાની ત્યારે સંકટ સમયે તમારી બધી શક્તિઓ એકાગ્ કરી કામે લગાડો।(૭)ધ્યેય પુરુ કરવા સમય મયાઁદા બાંધો। જે કોઇ ધ્યેય નક્કી કયુઁ હોય તે પુરુ કરવાની સમયરેખા બાંધો।નહીંતર ધ્યેય સફળ કરવા માટેની તીવ્રતા આવશે નહીં।(૮) સમય નુ મેનેજમેન્ટ કરો। માણસ પોતાના કાયઁ નો ૨૪ વર્ષે પા્રંભ કરે અને ૬૦ વષેઁ નિયત કાયઁ મુક્તિ મેળવે છે। તેમ ગણીએ તેને કુલ ૩૬ વષઁ પા્પ્ત થાય છે। જેમાંથી ૧૨ વષઁ ઉંઘ ના, ૪વષઁ નિત્યકમઁ, ૬ ઈતરકામ, ૩ રજાઓ, અને ૧ વષઁ બીમારી ના ગણીયે તો વ્યકિત્તવ ખીલવવામાતે માત્ર ૧૦ વષઁ મળે છે।દરરોજ આપણ ને એક તાજો દિવસ મળે છે। આપણે સમજી ને તેનો ઉપયોગ કરવાનો હોયછે.
ગુજરાતી powered by Lipikaar.com

Wednesday, March 18, 2009

યૂવા પેઢી ને.

આજની યૂવા પેઢી કલકલ વહેતા ઝરણા ના પ્રવાહ જેવી છે।શાળાના યુવાનો, યુવતીઓ ભણીગણી ને સમાજ મા જાય છે। નોકરી ધંધો કરી ને ઠરી ઠામ થાય છે પણ તેમની પાસે ચોક્કસ ધ્યેય લઇને જીવવા ની દ્રષ્ટિ નથી એટલે તેઓ જીવ્યે જાય છે। પણ આનંદ, સાફલ્યતા, ગૌરવનો અનુભવ કરી શકતા નથી। ઝરણા ની જેમ કોઈ સ્વ ઓળખ નથી તેમ યુવાનો આગવી પ્રતિભા સ્થાપી શકતા નથી।બે મિત્રો આંબા ના બગીચામા જાય છે માળી બન્નેને ખવાય તેટલી કેરી ખાવાનુ કહે છે એક મિત્ર પેટ ભરી ને કેરી ખાય છે બીજો માળી સાથે વાત કરે છે। આંબા નો છોડ કઇ રીતે વાવવા, કેવી માટી જોઇયે, ખાતર પાણી ની માવજત કેમ કરવી વગેરે। તે મિત્ર બીજા દિવસે પોતાના બાગ માં જઇને સરસ આંબા ના છોડ નુ વાવેતર કરી દે છે। આંબા ઉછેરી ને, આખી જિંદગી કેરી ખાય શકે છે।
દરેક માણસ માં અપાર શક્તિ છે। જરુર છે તેને ધ્યેય તરફ વાળવા ની, મન ની એકાગ્રતાની, સંવેદનશીલતા વિકસાવવાની, માહિતી, જ્ઞાન ની સાથે ડહાપણ લાવવાની। આવા ગુણોવાળા યુવાનો અમૃતસ્ય પુત્રાઃ બની શકશે। યુવા પેઢી માં આત્મવિશ્ર્વાસ, અંતઃપ્રેરણા અને દિશા દ્રષ્ટિ નો સંચાર કરવા ના ઉદેશથી આ લખુ છુ.
ગુજરાતી powered by Lipikaar.com

Thursday, March 5, 2009

સમસ્યા એટલે શું?

જીંદગી છે એટલે સમસ્યા તો આવવા નીજ।તેને આવતી રોકવાનુ આપણા હાથમા નથી।પણ સમસ્યા ની સામે ઢાલ બનીને ઉભા રહેવા નુ તો આપણા હાથ મા છે।(૧) મહેરબાનીકરી ને તમે પોતે સમસ્યા નો એક ભાગ બની જાશો નહી।(૨)તમારી પરિસ્થિતીની વાસ્તવિક્તા નીનોંધ લઇ તેનો સ્વીકાર કરો।(૩)દરેક અનુભવમાથી કશો બોધપાઠ લેવાની કોશિશ કરો।(૪) સમસ્યઓ પ્રત્યે માનસિક સકારાત્મક અભિગમ અપનાવવા નુ ચાલુ રાખો।(૫) તમારી શ્રધ્ધા ના દીપક ને પ્રજવલીત રાખો। (૬) હંમેશા વતૅમાન મા જીવવા નો પ્રયત્ન કરો।(૭)તમારી ઉત્સાહ ને જીવંત અને સકિ્ય રાખો।(૮) નિસ્વાથૅ સેવાકિય કાયૅ મા વ્યસ્ત રહો.
ગુજરાતી powered by Lipikaar.com

Thursday, February 5, 2009

श्रीमंत और ज्ञानी दोनों धन और ज्ञान द्वारा शान्ति खोजते है । लेकिन शान्ति धन या ज्ञान से कभी नही मिलती .धन का जेसे मानव को अभिमान होता है। ऐसाही ज्ञानी को ज्ञान का अभिमान होता है .जहा अहंकार होता है .वहा शान्ति केसे मिलती है ।
ज्ञानमार्ग में सब छोड़ना पड़ता है । और भक्तिमार्ग में सब समर्पण करने की बात है । छोड़ नही सकते हो तो इश्वर को समर्पण करना शिखो ।
नींद में तुम्हें जो सपने दिखाई देते है वो तुम्हारा दयेय नही है। लेकिन जो सपना तुम्हारी नींद को उडादे वोही तुम्हारा दयेय है .

Tuesday, January 13, 2009

धर्म क्या है.

हरेक मनुष्य को दुसरे मनुष्य के साथ केसा व्यवहार करना चाहिए उसका विवक , विचार जो करते है उसका नाम ही धर्म है । सब मनुष्य का एकदूसरे के प्रति व्यवहार सदभाव और सदाचार तरफी होना चाहिए एसा सदाचार ही मानवधर्म है.
जो सत्य है,अहिंसात्मक है, तारक है , उपकारक है, धारक है , हितकारक है, वोही सच्चा धर्मं है.
स्वामी चिदानंदजीमहाराज .

Thursday, January 8, 2009

माता पिता की प्रार्थना

में प्रार्थना करत्ती हु की में मेरे बच्चे को उसकी अपनी जिंदगी जीने दू। मेने जो जीने की इच्छा कीथीऐसी नही इसलिए मुझे जो करने में निष्फलता मिली थी उसे करने का बोज उसके पैर न डालू ऐसी शक्ति प्रभु मुझे देना .उसने जो लंबा रास्ता काटना है उसको ख्याल में रखते में उसकी ग़लत सोच देख सकू और उसकी धीमी गति की लिए धीरज रखने की मुझे शक्ति देना.